અમદાવાદ આનંદનગરના રેડિયો મિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં લાગી ભીષણ આગ
Live TV
-
અમદાવાદ ખાતે આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયો મિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી. જમાં 30થી વધારે ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસ કાફલાને પણ હાલ ઘટનાસ્થળે પહોંચતો કરવામાં આવ્યો હતો. જો કે ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.ગેસ લીકેજ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અંદાજમાં જાણવા મળ્યું હતું.
