અમદાવાદ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા મેરેથોનનું કરાયું આયોજન
Live TV
-
મોટી સંખ્યામાં નગરજનો રહ્યા હાજર
અમદાવાદ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા, મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતું. દેશની સેવામાં લાગેલા સૈનિકોના હિતાર્થે અને સન્નમાનમાં આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લેગ ઓફ આપી શરૂ કરાવી હતી. મેરેથોનમાં સામેલ સૌને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યાં હતા. સાથે તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતું કે, સમગ્ર ભારતમાં ,ફીટ ઇન્ડિયા મુમેન્ટની શરૂઆત થઇ ચુકી છે. જેના કારણે ,લોકોમાં સ્વાસ્થ્ય અંગે ,જાગૃતિ આવી છે. આ પ્રકારના આયોજનમાં ,મોટી સંખ્યામાં લોકો સહભાગી થાય છે અને ફિટ ઈન્ડીયના મંત્રને ,આગળ વધારે છે. જે સરાહનીય છે. આ પ્રસંગે ,અદાણી ગ્રૂપ દ્વારા ,સૈનાના જવાનોના હિતાર્થે રૂપિયા ૫૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અદાણી ગ્રૂપના રાજેશ અદાણી અને બ્રિગેડિયર વિનોદભાઈ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
