અમદાવાદ : 3500 જેટલાં લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું CM રૂપાણીના હસ્તે કરાયું વિતરણ
Live TV
-
ગરીબોને પડખે ઉભી રહેવાની CM રૂપાણીએ વ્યક્ત કરી પ્રતિબદ્ધતા
સામાન્ય જનતા માટે મહેસુલ વિભાગની કામગીરી સરળ રહે, તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આજ કડીમાં ગઇકાલે રાજ્ય સરકારે દ્વારા લેન્ડ અને રેવન્યુના કાયદામાં ઐતિહાસિક ફેરફારો કરવામાં આવ્યાં છે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ દ્વારા સૂચિત સોસાયટીની અરજીઓનો નિકાલ. ઉપરાંત સાતમા ઓપનહાઉસ કાર્યક્રમમાં, મુખ્યમંત્રી દ્વારા અંદાજીત 3500 થી વધુ મંજૂરી હુકમો, દાવા પ્રમાણપત્ર તથા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદનાં સાંસદ ડૉ. કિરીટભાઈ, હસમુખ પટેલ તથા અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
