અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
Live TV
-
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં "વૃક્ષ છે, તો જીવન છે" તે સંદેશને લઈને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મહિલા વિંગ તથા એસ.બી.આઈ જેવી સંસ્થાઓ દ્વારા પણ આજે યુનિવર્સિટી ખાતે વૃક્ષ રોપીને પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડોક્ટર જગદીશ ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સતત પંદર દિવસ સુધી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવશે. સૌથી વધુ આસોપાલવના વૃક્ષ રોપીને પર્યાવરણનું જતન થાય તે માટે પણ યુનિવર્સિટીએ એક નવી પહેલ કરી છે.
