અમદાવાદ સિવિલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ અપર્ણ કરાયા
Live TV
-
પેટીએમ ફાઉન્ડેશન દ્વારા મળનારા કુલ 100 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સને અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર સિવિલ ખાતે મોકલાશે.
ગાંધીનગર ખાતે શરૂ થયેલા કોરોના સેવાયજ્ઞ અંતર્ગત અમદાવાદ સિવિલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ અપર્ણ કરવામાં આવ્યા હતા. પેટીએમ ફાઉન્ડેશન દ્વારા મળનારા કુલ 100 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સને અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર સિવિલ ખાતે મોકલાશે.
આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, કોરોનાના આ કપરાકાળમાં ઑક્સિજન અમૃત સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં પોતાના તન અને મનથી જે કર્મચારીઓ દર્દીઓની સેવા કરી રહ્યા છે અથવા અન્ય કોઈ પણ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે, આવા કોરોના વૉરિયર્સનું મનોબળ વધારવું અત્યંત આવશ્યક છે.
