અમરેલીઃ આદમખોર દીપડો ઠાર મરાયો, ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ
Live TV
-
અમરેલીમાં આતંક મચાવનાર દીપડો આખરે વનવિભાગના સર્ચમાં આવ્યો હતો. વનવિભાગના શાર્પ શૂટર દ્વારા આ દીપડો ઠાર મરાયો છે. દીપડો ઠાર મરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
છેલ્લા 4 દિવસથી વન વિભાગની ટીમ આ દીપડાને પકડવા દોડધામ કરી રહી હતી અને આજે આખરે દીપડો ઠાર મરાયો હતો. થોડા દિવસ પહેલા જૂનાગઢમાંથી એક દીપડી પાંજરે પૂરાઈ હતી. આજે સવારે દીપડો બગસરા શહેરમાં આવી પહોંચ્યો હતો. શહેરમાં આવેલી ગૌશાળામાં હુમલો કરી વાછડીઓનું મારણ કર્યું હતું. જેને કારણે ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરમાં દીપડાની હાજરીથી લોકો વધુ ભયભીત બન્યા હતા.
