આજથી એક સપ્તાહ સુધી દરરોજ 18 થી 44 વય જુથમાં ૧ લાખ યુવાઓનું રસીકરણ કરાશે: મુખ્યમંત્રી વિજય રૂપાણી
Live TV
-
આજથી એક સપ્તાહ સુધી દરરોજ 18 થી 44 વય જુથમાં ૧ લાખ યુવાઓનું રસીકરણ કરાશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રાજ્યમાં યુવાઓ માટે કોરોના વેક્સિનેશન અંગે મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે..હાલ દરરોજ 30 હજાર યુવાઓનું થતુ કોરોના રસીકરણ વધારીને રોજ 1 લાખ કરવાના મુખ્યમંત્રી નિર્ણયથી યુવા શક્તિને ઝડપી અને વ્યાપક પણે કોરોના સામે આરોગ્ય સુરક્ષા મળશે.આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે. આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગે આ રસીકરણ વ્યવસ્થા સુચારુ અને સુઆયોજિત રીતે પાર પડે તે માટેનું આયોજન કર્યું છે.
