આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યક્રમો મુલતવી
Live TV
-
ગુજરાતમાં શાંતિ સદભાવ અને સોહાર્દ નું વાતાવરણ જળવાઈ રહે તે માટે સહભાગી બનીએ-જીતુભાઈ વાઘાણી
ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની યાદી જણાવ્યુ હતુંકે આજે શ્રી રામ જન્મભૂમિ - અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર ભાજપાના સ્નેહમિલન તથા અન્ય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવેલા છે.
જીતુ વાઘાણીએ કાર્યકરોને અપીલ કરતા જણાવ્યું હતું કે ,વર્ષોથી આપણે સૌ શ્રી રામ જન્મભૂમિ અંગેના ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સન્માનનીય સુપ્રીમ કોર્ટનો આ અંગે જે કંઈ ચુકાદો આવે તે ચુકાદાને સ્વીકારીને ગુજરાતમાં શાંતિ સદભાવ અને સોહાર્દ નું વાતાવરણ જળવાઈ રહે તે માટે સહભાગી બનીએ.