આજથી દર્શનાર્થીઓ માટે યાત્રાધામ ખેડબ્રહ્મા અંબાજી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા
Live TV
-
યાત્રાધામ ખેડબ્રહ્માનું અંબાજી મંદિર બે મહિના પહેલાં દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું.
કોરોનાની બીજી લહેરની શરુઆત થતા જ સાવચેતીના ભાગરૂપે યાત્રાધામ ખેડબ્રહ્માનુ અંબાજી મંદિર બે મહિના પહેલાં દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યુ હતુ. ત્યારે હવે કોરોનાના કેસ ઘટતા સરકારની ગાઈડ લાઈન મુજબ આજથી દશઁનાથીઁઓ માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. આ અંગે અંબાજી મંદિર ટ્રસ્ટના આસીસ્ટન્ટ મેનેજર નટુ પટેલે જણાવ્યું હતું કે દશઁન કરવા આવનાર ભકતે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે. જયારે આરતી સમયે કોઈપણ ભકતને પ્રવેશ આપવામાં આવશે નહીં.
