આજે ભાદરવા સુદ બારસ એટલે કે મહાત્મા ગાંધીનો તિથી લેખે જન્મદિવસ
Live TV
-
આજના મશીનરીના યુગમાં ગાંધીજીનો પ્રિય ચરખો આજે પણ રાજકોટમાં જીવંત છે અને એના દ્વારા કેટલાક લોકોને રોજી રોટી પણ મળી રહે છે.
આજ રોજ ભાદરવા સુદ બારસ એટલે કે મહાત્મા ગાંધીનો તિથી લેખે જન્મદિવસ. રાજકોટમાં બાપુની પ્રેરણાથી સ્થપાયેલી રાષ્ટ્રીય શાળામાં તિથી મુજબ જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે.. આજના દિવસને રાષ્ટ્રીય શાળા દ્વારા રેંટિયા બારસ તરીકે ઉજવવામાં આવી રહી છે.. વર્ષ 1933 ના રોજથી રાષ્ટ્રીય શાળા ખાતે આ મુજબ બાપુના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજ વિચારધારા ગાંધીવાદીઓ દ્વારા આજે પણ જીવંત રાખવામા આવી છે.. આજ રોજ રાષ્ટ્રીય શાળા ખાતે સવારના 9 થી 11 વાગ્યા સુધી ચરખાનું કાતણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ચંબર ચરખા પર 15 અને પેટી રેંટિયા પર 6 સ્પર્ધકો કાંતણ કરતા નજરે પડ્યા હતા.. ઉલ્લેખનિય છે કે આજના મશીનરીના યુગમાં ગાંધીજીનો પ્રિય ચરખો આજે પણ રાજકોટમાં જીવંત છે અને એના દ્વારા કેટલાક લોકોને રોજી રોટી પણ મળી રહે છે.