ગણપત યુનિવર્સીટીમાં શૈક્ષણિક, માનસિક અને સંવેદન વિકાસ માટે સેમિનાર યોજાયો
Live TV
-
ગણપત યુનિવર્સીટીમાં શૈક્ષણિક, માનસિક અને સંવેદન વિકાસ માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગણપત યુનિવર્સીટીમાં શૈક્ષણિક, માનસિક અને સંવેદન વિકાસ માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવન ડાયમંડ ઓફ સ્પીરિચુઅલ ઇન્ટેલિજન્સ ફોર ઇફેક્ટિવ લીડરશીપ વિષય પર ઉચ્ચ શિક્ષણ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અંજુ શર્માએ વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે દુર્ભાગ્યે આજની મોટા ભાગની કોલેજો શૈક્ષણમાં વિદ્યાર્થીઓના IQને વિકસાવવા પ્રયાસ કરે છે પરંતુ હવે EQ એટલે કે ઇમોશનલ લીડર માટે સમૂહ સાથે કામ કરવાનું આવે ત્યારે IQ સાથે EQ પણ મહત્વની બાબત બની રહે છે. IAS અંજુ શર્માના આ વ્યાખ્યાનમાં યુનિવર્સિટીના જનરલ ડાયરેકટર ડો. મહેન્દ્ર શર્મા, વિવિધ વિષયોના પ્રાધ્યાપકો સહિત સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.