આણંદઃ પરિવાર માટે આશીર્વાદ બની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
Live TV
-
પરિવાર માટે આશીર્વાદ રૂપ નીવડી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આણંદ જીલ્લાનાં જીણજ ગામના એક પરિવાર માટે આશીર્વાદ રૂપ નીવડી છે. ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાનો રાષ્ટ્રવ્યાપી આરંભ કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાનાં જીણજ ગામના જીવનભાઈ વાલ્મીકી, ખેત મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા હતા. પરંતુ તેમને પગમાં ગંભીર ઈજા થઈ હતી
પગમાં ગંભીર ઈજા થતાં તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં 1.5 લાખ થી 2 લાખ જેટલો માતબર ખર્ચો આવતો હતો પરંતુ આયુષ્યમાન યોજના અંતર્ગત કરમસદ ખાતે આવેલ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં તેમનો ઈલાજ તદ્દન નિશુ્લ્ક કરવામાં આવ્યો હતો.
જેના કારણે જીવનભાઈના પરિવારજનોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.