આણંદ જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓએ ખંભાત પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું
Live TV
-
આણંદ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઇ શકે છે જેને પગલે આણંદ જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓએ ખંભાત પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તો બીજી તરફ ખંભાતના 15 અને બોરસદના 3 ગામોને હાઈ એલર્ટ કરાયા છે તેમજ હાલ 650થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પશુ-પ્રાણી સહિત લોકોને પણ ખસેડવામાં આવી રહ્યા છે. હાલ NDRF ની 2 ટીમ ખંભાતના અલગ અલગ વિસ્તારમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
