આણંદ: ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ
Live TV
-
મેઘરાજાએ હાથતાળી આપતા ખેડૂતોની ચિંતામાં વધારો
આણંદ જીલ્લાના મુખ્ય રવિ પાકમાં ડાંગર મોટા ભાગના ખેડૂત વાવતો હોય છે ત્યારે ચોમાસુ બેસી ગયા ના મહિના બાદ પણ વરસાદ હાથ તાળી આપી રહ્યો છે. અને સાથે સાથે નહેરમાં જોઇએ તેટલું પાણી પણ નથી આપવામાં આવતું. આ સંજોગોમાં ડાંગરનો પાક નિષ્ફ્ળ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોએ તૈયારીના ભાગ રૂપે ડાંગરનું ધરૂ તૈયાર કરી રાખ્યું હતુ. પણ વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
