આશારામ આશ્રમમાં બનેલા દિપેશ અને અભિષેક અપમૃત્ય કેસમાં ગૃહરાજ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપી
Live TV
-
આશારામ આશ્રમમાં બનેલા દિપેશ અને અભિષેક અપમૃત્ય કેસમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે જસ્ટીસ ડી. કે. ત્રિવેદીના અધ્યક્ષપદે તપાસપંચની રચના કરવામાં આવી હતી.
આશારામ આશ્રમમાં બનેલા દિપેશ અને અભિષેક અપમૃત્ય કેસમાં રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં તપાસપંચની નિમણૂંક કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં આ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે જસ્ટીસ ડી. કે. ત્રિવેદીના અધ્યક્ષપદે તપાસપંચની રચના કરવામાં આવી હતી. જેમા જણાવવામાં આવ્યું હતું કે દિપેશ અને અભિષેકના મોત કોઇ તાંત્રિક વિધિના કારણે નહીં પરંતુ ડૂબી જવાના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું. જેમા સ્થાનિક પોલીસ કે સીઆઇડી ક્રાઇમની કોઇ ભૂલ કે ક્ષતિ જણાતી નથી. ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે તપાસ પંચ દ્વારા સૂચનો અને ભલામણો કરવામાં કરવામાં આવી હતી.
