વર્ષ 2002ના અક્ષરધામ હુમલાના આતંકીને આજે કોર્ટમાં રજૂ કરશે
Live TV
-
વર્ષ 2002માં અક્ષરધામ પર થયેલા હુમલાના મુખ્ય સુત્રધાર એવા મહોમ્મદ યાસીન ગુલામ મોહીનુદિન બટ ને અનંતનાગથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુજરાત ATSએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી આ આતંકીની ધરપકડ કરી છે. હુમલા બાદ આ આંતકી પાકિસ્તાનમાં છુપાયો હતો અને ગુજરાતમાં હથિયાર ઘુસાડ્યા હતા. જેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આતંકવાદને નાથવા માટે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતી અખત્યાર કરી છે. ત્યારે રાજ્યમાં આતંકવાદ હુમલા ન થાય તે માટે પણ સરકાર સતર્ક છે.
