આશ્રમ શાળા ખાતે ગાંધી દર્શન કાર્યક્રમનું આયોજન
Live TV
-
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની આદિવાસી આશ્રમ શાળા ખાતે જિલ્લાની સામાજિક સંસ્થાઓ, ગણદેવી આદિવાસી સંસ્કાર મંડળ અને બીલીમોરા સર્વ સેવા કેન્દ્ર તથા રોટરી કલબ ગણદેવીનાં સંયુકત ઉપકર્મે મહાત્મા ગાંધીની સાર્ધ શતાબદીના પ્રસંગે ગાંધી દર્શન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે આજની યુવાપેઢી ગાંધી દર્શન અને ગાંધી જીવનના સુત્રો જીવનમાં ઉતારી અને તેનું આચરણ કરે. આ સાથે ગાંધીજીના જીવનની યાદગાર અને અલભ્ય ચિત્રની ઝાંખી પ્રદર્શિત પણ કરવામાં આવી હતી
