ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ આણંદ ખાતે ઈરમાના કાર્યક્રમમાં રહ્યાં ઉપસ્થિત
Live TV
-
જળસંચય માટે સરકારને સહયોગ આપાવા લોકોને કરી અપીલ
ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને કચ્છની મુલાકાતે જશે. આજે તેઓ આણંદમાં, ઇરમાના 40માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે, ઉપસ્થિત રહ્યા હતાં. ઇરમા ખાતે ઉપરાષ્ટ્રપતિએ સંબોધનમાં જળસંચય માટે સરકારને સહયોગ આપવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેઓ NDDBના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ ઉપરાંત તેઓ આવતીકાલે પોલીસ એકેડમી "કરાઇ" ખાતે નિશાન એનાયત સમારંભમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ કચ્છના "ધોરડોની" મુલાકાતે પણ જશે. આ ઉપરાંત રાજ્યના શિક્ષણમંત્રી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ આ પ્રસંગે કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતું
