કન્યા છાત્રાલય માટે સરકાર જમીન આપવા તૈયાર : વિજય રૂપાણી
Live TV
-
સુરતમાં આહિર સમાજના સમૂહ લગ્નનમાં મુખ્યમંત્રી રૂપાણીએ નવદંપતીને આશિર્વાદ આપતા સુરત બરોડા રાજકોટ અને અમદાવાદમાં સરકારે જમીન આપવાનું એલાન કર્યુ
સુરતમાં આહીર સમાજના સમૂહ લગનમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં નવદંપતીને આશીર્વાદ આપવાની સાથે તેમણે કોઈ પણ સમાજ ને ગુજરાતના ચાર શહેરમાં કન્યા છાત્રાલય ખોલવું હોય તો સમાજને જમીન આપવાની જાહેરાત કરી હતી.સી.એમ દ્વારા આહીર સમાજ ને કાનીયા છાત્રાલય માટે જે અમદાવાદમાં જગ્યા આપવામાં આવી છે તેને લઈને સમાજ તરફથી ખાસ આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સી.એમ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કોઈ પણ સમાજ દ્વારા ગુજરાતના અમદાવાદ વડોદરા અને રાજકોટ ખાતે કન્યાઓ માટે છત્રાલય ખોલવું હોય તો સરકાર તેમને જમીન આપશે તેવી જાહેરાત પણ કરી હતી