કલકત્તા હિંસાના પડઘા ગુજરાતમાં, ભાજપના નેતાઓએ કર્યાં ધરણાં
Live TV
-
કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં સર્જાયેલી અથડામણ બાદ દિલ્લીમાં રાજનિતિક ધમાસાણ શરૂ થઈ ગયું છે. ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણીપંચ સાથે મુલાકાત કરીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.
સાથે જ સાતમાં તબક્કામાં ચૂંટણી યોજાવાની છે તે વિસ્તારોમાં કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા ફ્લેગમાર્ચ કરાવવાની પણ માગ કરી હતી. એ ભાજપે ચૂંટણીપંચ સમક્ષ અરાજકતા ફેલાવનારા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી દરમિયાન , આજે દિલ્લીમાં જંતર મંતર પર ભાજપના નેતાઓ દ્વારા મમતા બેનરજી વિરુદ્દ હાથમાં હોર્ડિંગ્સ લઈને મૌન પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.
અમદાવાદમાં લાલ દરવાજા પાસે ભાજપ કાર્યકરો દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. જેમાં આઈકે જાડેજા અને મેયર મીનાક્ષીબેન સહિતના નેતાઓ જોડાયા હતા.