કારગીલ વિજય દિવસ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આર્મી કેન્ટોન્ટમેન્ટ ખાતે શહીદ વીરોને શ્રધ્ધાંજલી અર્પી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આર્મી કેન્ટોન્ટમેન્ટ શાહીબાગ ખાતે શહીદવીરોને શ્રધ્ધાંજલી અર્પીને દેશના જવાનોની વીરતાને બિરદાવી
આજે 20માં કારગીલ વિજય દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે અમદાવાદમાં ભારતીયે સૈન્યના ગોલ્ડન કટારના ઉપક્રમે તેની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આર્મી કેન્ટોન્ટમેન્ટ શાહીબાગ ખાતે શહીદવીરોને શ્રધ્ધાંજલી અર્પીને દેશના જવાનોની વીરતાને બિરદાવી હતી. આ ઉપરાંત તેમણે કારગીલ વિજય દિવસ બાઇક એક્સપીડીશનનું સમાપન કર્યું હતું.
21મી જૂન 2019ના રોજ તેનો લેહથી પ્રારંભ થયો હતો. ચાર હજાર બસો કિમીની સાયકલ યાત્રા બાદ તેની અમદાવાદમાં મુખ્યમંત્રીએ સમાપન કરાવ્યું હતું. વિજય રૂપાણીએ પોતાના વકત્વ્ય કહ્યું હતુંકે દેશના જવાનો સતર્ક છે અને દુશ્મન દેશના એકેએક દુઃશાહસનો જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.
#KargilVijayDiwas pic.twitter.com/qYnZhwgev9
— Vijay Rupani (@vijayrupanibjp) July 26, 2019
