કાલાવડ-ખીજડીયા રોડ પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, 5ના મોત
Live TV
-
જામનગરમાં કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં પાંચ લોકોનાં મોત થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જામનગરના કાલાવાડ નજીક આવેલ ભાવુભા ખીજડીયા ગામ પાસે આ અકસ્માત સર્જાયો છે.
કારમાં સવાર વ્યક્તિઓ જૂનાગઢથી જામનગર પરત ફરી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં મોતને ભેટેલા તમામ વ્યક્તિઓ જામનગરના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. આ અકસ્માતમાં 5 વ્યક્તિનાં ઘટના સ્થળ પર જ મોત થયા છે અને 3 લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી બેની હાલત વધારે ગંભીર જણાવાઈ રહી છે.
