કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી, રમેશ પોખરિયાલ નિશંક ગુજરાતની મુલાકાતે
Live TV
-
આગામી ડીસેમ્બરમાં નવી શિક્ષણ નીતીની જાહેરાત અંગે કરી વાત
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી, રમેશ પોખરિયાલ નિશંક, શૈક્ષણિક રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હતા. જ્યાં તેમણે અમદાવાદ મહેસાણા અને ગાંધીનગરની કેન્દ્રીય વિદ્યાલયના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે , શાળા સંચાલકોના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. સાથે શિક્ષણ પદ્ધતિમાં વિકાસ અને વિદ્યાર્થીઓના હિતાર્થે ઘડવામાં આવેલી નવી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. મહેસાણા ખાતે કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતી માટે બે લાખ ઉપરાંત સૂચનો મળ્યા છે જે પર ચર્ચા વિચારણા બાદ આગામી ડીસેમ્બરમાં નવી શિક્ષણ નીતીની જાહેરાત કરાશે.
