કોરોનાને લીધે રાજય સરકારના પેન્શનરો માટે હયાતીની ખરાઈની મુદત વધુ એક માસ લંબાવાઈ
Live TV
-
કોરોનાને લીધે રાજયસરકારના પેન્શનરો માટે હયાતીની ખરાઈની મુદત વધુ એક માસ લંબાવવામાં આવી હોવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી છે. તેમણે કહ્યું કે, નાણાં વિભાગની સ્થાયી જોગવાઇઓ મુજબ રાજ્ય સરકારના તમામ પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઇ મે મહિનાથી શરૂ કરી જુલાઈ મહિના સુધી કરાવવાની હોય છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઇને રાજ્યસરકારના તમામ પેન્શનરો માટે હયાતીની ખરાઇ વધુ એક માસ એટલે કે ઓગસ્ટ 2021 સુધી લંબાવવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે એટલે હવે પેન્શનરો તેમના હયાતીના ખરાઈ અંગેની પ્રક્રિયા મે 2021 થી ઓગસ્ટ 2021 સુધી કરાવી શકશે.
