કોલેજના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત
Live TV
-
કોલેજના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી છે. રાજ્યની સરકારી અને ખાનગી કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા, ચોથા તેમજ છઠ્ઠા સેમીસ્ટરના વિદ્યાર્થીઓનો આમાં સમાવેશ થશે. જે અંતર્ગત પ૦ ટકા ગુણ આંતરિક મુલ્યાંકન અને પ૦ ટકા ગુણ તુરત અગાઉના સેમિસ્ટરના આધારે અપાશે. જોકે મેડીકલ અને પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટેના વિદ્યાર્થીઓને આનો લાભ મળશે. રાજ્યના અંદાજે ૯.૫૦ લાખ જેટલા યુવાઓના આરોગ્ય રક્ષા ઉદાત્ત ભાવ સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય કર્યો છે.
