ખેડા:કપડવંજ ખાતે જરૂરિયાતમંદોને રાશનકીટ આપવામાં આવી
Live TV
-
કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનને સાત વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા રાજ્યભરમાં જનસેવાના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં વિવિધ સંસ્થા અને સંગઠનો મદદે આવીરહ્યા છેજે અનુસંધાને ખેડા જિલ્લાના કપડવંજ અને તાલુકાના ભુંગળિયા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાત મંદોને રાશન કીટ આપવામાં આવી હતી. તો કોરોના કાળમાં જેઓએ માતા-પિતા ગુમાવ્યા છે તેવા બાળકોનો સર્વે કરવો તેમજ જેઓને કોરોનાને કારણે મુશ્કેલી પડી છે તેઓને મદદરૂપ બનવાનો પ્રયાસ કરાયો છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ દેવુંસિંહ ચૌહાણ ,જિલ્લા પ્રમુખ અર્જુન સિંહ ચૌહાણ તથા ભાજપના હોદ્દેદારો બે દિવસથી ખેડા જિલ્લાની મુલાકાત કરી રહ્યા છે.
