ખેડૂતો મગફળીની ખરીદીથી સંતુષ્ટ છે- નીતિન પટેલ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે મગફળીની ખરીદી હાલ ખેડૂતો પાસેથી ચાલી રહી છે, અને ખેડૂતો મગફળીની ખરીદીથી સંતુષ્ટ છે. અમદાવાદમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જસદણની પેટાચૂંટણીમાં પ્રજા જાણે છે કે કોને જીતાડવા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસ પક્ષના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે અને કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે.
