ખેડૂત દેવા માફી બિલ વિધાનસભામાં નામંજૂર થતા હોબાળો, કોંગ્રેસે કર્યું વૉકઆઉટ
Live TV
-
ખેડૂત દેવા માફી બિલ વિધાનસભામાં ના મંજૂર થતા હોબાળા વચ્ચે કોંગ્રેસ ધારા સભ્યોએ કર્યું વોક આઉટ - ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહી બદનામ ન કરવાનું જણાવતા ,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ - રાજ્ય સરકારની કૃષિલક્ષી નિતીઓના કારણે ખેડૂતો બન્યા સમૃદ્ધ
રાજ્ય વિધાનસભા ગૃહમાં, બિનસરકારી વિધેયકોમાં ખેડૂત દેવા માફી વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. તે મુદ્દે ગૃહમાં, ચર્ચા કરવા તેમજ આ બિલ મુદ્દે મતદાન કરી સર્વ સંમતિથી પસાર થાય ,તે પહેલા જ, ઉગ્ર ચર્ચા બાદ ,વિપક્ષે ,બિલ ફગાવી દીધું હતું.
ગૃહમાં બિલ નામંજૂર થતાં કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂત વિરોધી ચર્ચા નહીં ચલેગી નારા કરતા ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ આ બાબતે કોંગ્રેસ પર આક્ષેપ કરતાં ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહી બદનામ ના કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યસરકારની કૃષિ લક્ષી નીતિઓના કારણે જ ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ આ પ્રમાણે પ્રતિક્રિયા આપી.