ગાંધીનગર: કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાવાઝોડામાં બાગાયતી પાકોને બચાવવા કરાયેલી કામગીરી અંગે યોજાયો સંવાદ
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા હોલ, ગાંધીનગર ખાતે કૃષિ વૈજ્ઞાનિકો સાથે તાઉ'તે વાવાઝોડામાં અસરગ્રસ્ત બાગાયતી પાકોને બચાવવા કરેલી કામગીરી અંગે પરામર્શ- સંવાદ યોજાયો હતો. આ વિસ્તારમાં વિવિધ બાગાયતી પાકોને નુકશાનથી બચાવવા કૃષિ વૈજ્ઞાનિકોએ કરેલા કાર્યો -અનુભવો રજૂ કર્યા હતા. જેમાં કૃષિમંત્રી આર. સી. ફળદુ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાસનાથન, કૃષિ વિભાગના સચિવશ્રી મનિષ ભારદ્વાજ, કૃષિ નિયામકશ્રી, દાંતીવાડા, નવસારી, જૂનાગઢ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના ઉપ કુલપતિશ્રીઓ, કૃષિ વૈજ્ઞાનિકો,કૃષિ તજજ્ઞો સહિત કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
