GPSC પાસ ૧૬૨ તબીબોને કાયમી ડૉકટર તરીકે નિમણૂક અપાશે: Dy.Cm નીતિન પટેલ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજયના નાગરિકોને ઘર આગણેજ સત્વરે આરોગ્ય સારવાર મળી રહે એ માટે જી.પી.એસ.સી પાસ ૧૬૨ તબીબોને કાયમી ડૉકટર તરીકે નિમણૂક આપવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.તેમણે ઉમેર્યુ કે, તાજેતરમાં G.P. S.C દ્વારા પસંણી પામેલ ૧૬૨ એમ.બી.બી.એસ. ડોક્ટરોને આરોગ્ય વિભાગના કાયમી ડોક્ટર તરીકે નિમણૂંક આપવા માટે મંજૂરી આપવામા આવી છે જેની સત્વરે નિમણુક અપાશે જેના પરિણામે આરોગ્યલક્ષી સારવારમા વધારો થશે.
