ગીર સોમનાથ,અમરેલી અને ભાવનગરમાં 25.60 લાખ કરોડ રૂપિયાની કેશ ડોલ્સની કરાઈ ચૂકવણી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાઉતે વાવાઝોડાથી ગીર સોમનાથ,અમરેલી અને ભાવનગર જિલ્લામાં સર્જાયેલી તારાજી અંગે ત્રણે જિલ્લાઓના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ થકી વાતચીત કરી માહિતી મેળવી હતી. જેમાં મુખ્યમંત્રીએ ખોટો લઇ ન જાય અને સાચો રહી ન જાય; તેની તકેદારી સાથે સહાયની રકમ ચૂકવવા તાકીદ કરી હતી. જિલ્લા તંત્રએ ત્રણ જિલ્લામાં કુલ ૪ લાખ ૮ર હજાર વ્યક્તિઓને રપ લાખ ૬૦ હજાર કરોડ રૂપિયાની કેશ ડોલ્સ ચૂકવી છે. આ સાથે ૬૦ હજાર ૩૭૩ પરિવારોને રૂ. પ૧ કરોડ ૭૭ લાખ ઘરવખરી સહાય DBT થી આપવામાં આવી છે જયારે સંપૂર્ણ નાશ પામેલા ૧,૮૩૪ મકાનો માટે ૧૦૦ ટકા મકાન નુકસાન સહાય ચૂકવવામાં આવી છે.આ ત્રણ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કેશ ડોલ્સ અને ઘર વખરીની ૧૦૦ ટકા સહાય ચૂકવાઈ ગઈ છે.
