ગીર-સોમનાથ: દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં કુવા રિચાર્જ થતા ખેડૂતોએ મગફળીનું કર્યું વાવેતર
Live TV
-
ગીર સોમનાથ જિલ્લામાં ગત વર્ષે થયેલ સારા વરસાદને કારણે ઉનાળુ વાવેતર મગ, અડદ, તલ જેવા પાકોનું મબલખ ઉત્પાદન થયું હતું. જ્યારે ગીર સોમનાથ જિલ્લાનાં દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ગત વર્ષે સારા વરસાદના કારણે કુવાઓ પણ ભરાયા હતા. જે કુવાઓમાં હજુ સુધી પાણી હોવાથી તેમજ શીંગવડા નદીમાં ડેમમાંથી 2 વખત પાણી છોડવામાં આવતા આ વિસ્તારનાં કુવાઓ ફરી રિચાર્જ થયા છે. આ કુવાઓ રિચાર્જ થતા ગીર સોમનાથના ખેડૂતો ચોમાસા પહેલા જ મગફળીની આગોતરી વાવણી કરી રહ્યાં છે. કુવાનું પાણી મળી રહેવાથી પિયતની સગવડ હોવાને કારણે દરિયાઈ પટ્ટીની મગફળી ઉત્તમ ગુણવત્તાની ઉત્પાદિત થાય છે જેની ઉપજ પણ ખેડૂતોને સારી મળી રહે છે.
