ગુજરાતના ગીરની પ્રખ્યાત કેસરકેરી હવે ઇટાલી મોકલવામાં આવશે
Live TV
-
કેસરકેરીનું આ કન્ટેનર ગીરથી ઇટાલી શિપ દ્વારા પહોંચાડવામાં લગભગ 20 થી 27 દિવસનો સમય લાગે છે.
ફળોનો રાજા કેરી ગણાય છે અને તેમાં ગુજરાત થતી કેસરકેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે આથી જ્યારે તેને વિદેશમાં લોકો પસંદ કરે અને તેની માગ વધે એ આપણા માટે ખુબજ ગર્વની વાત છે અને સારી એવી કિંમત પણ મળતી હોવાથી આ કોરોના મહામારીમાં ટેકો પણ રહે ગીરની પ્રખ્યાત કેસર કેરીની હવે વિદેશમાં પણ માંગ વધી રહી છે.કેરીમાં રહેલા વિટામિન અને તેનાથી થતા ફાયદા ખુબજ છે આથી કેરી નું સેવન શરીર માટે સારી હોય છે તેના ઉત્પાદન માં ગુજરાત,મહારાષ્ટ્ર,કર્ણાટક જેવા દેશના વિવિધ રાજ્યો મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે ઈટાલીના એક વેપારી કેસરકેરીની ડિલિવરી લેવા ગીર પહોંચ્યાં હતાં. શિપ દ્વારા ગુજરાતથી કેસર કેરીનું બીજુ કન્ટેનર ઇટાલી મોકલવામાં આવશે.તેમનું કહેવું છે કે,ગીરની કેરીની કિંમત ઇટાલીમા ખુબ વધારે મળે છે અને અંદાજે 500 ટન કેરીની ખપત થાય તેમ છે. કેસરકેરીનું આ કન્ટેનર ગીરથી ઇટાલી શિપ દ્વારા પહોંચાડવામાં લગભગ 20 થી 27 દિવસનો સમય લાગે છે.
