ગુજરાત થશે વધુ સુરક્ષિત, આતંકવાદ માટેના કાયદા ગુજસીટોકને મળી રાષ્ટ્રપતિની મંજૂરી
Live TV
-
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠીત ગુનાખોરીને નિયંત્રણમાં લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલું સપનું સાકાર થયું છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠીત ગુના નિયંત્રણ કાયદા વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી છે.
તેમણે જણાવ્યું હતું કે, વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં રાજ્યની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે અને પોલીસ અધિકારીઓને બળ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કાયદાનો અમલ થતાં ખંડણી, કેફી દ્રવ્યોની હેરાફેરી, પોન્ઝી સ્કીમ સહિતના અપરાધો નિયંત્રણમાં આવશે.
