ગુજરાત પર "મહા" વાવાઝોડાનો ખતરો
Live TV
-
6 અને 7 નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગહી
જેની અસરને પગલે 6 અને 7 નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.ત્યારે મહા વાવાઝોડાને પહોંચી વળવા NDRFની 15 ટીમો ગુજરાતમાં તૈનાત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ ઉપરાંત પાંચ ટીમો દિલ્હી અને પાંચ ટીમો ભટીંડાથી પણ એરલિફ્ટ કરવામાં આવશે.જ્યારે વડોદરામાં 12 NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં આ ટીમોને તૈનાત કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું હતું કે મહા વાવાઝોડા સામે પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે કહ્યું કે, દીવથી દ્વારકા સુધીના તમામ વિસ્તારોમાં તંત્ર એલર્ટ પર છે. તો રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં વરસાદની સંભાવનાને પગલે ખેડૂતોએ પોતાનો તમામ ખેતીનો પાક સલામત સ્થળે ખસેડી લે તેવી અપીલ રાજ્ય સરકારે કરી છે.
