"મહા" વાવાઝોડાની અસરથી દરીયાખેડુને નુકસાન
Live TV
-
દરીયાખેડુને પણ નુકસાની વળતર મળે તેવી માછીમારોની માગ
અરબી સમુદ્રમાં હાલ મહા વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અને આ વાવાઝોડુ દ્વારકાથી દીવની વચ્ચે એટલે ગીર સોમનાથમાં આવતાવેરાવળના માછીમારો ચીંતીત બન્યા છે. આમ તો માછીમારીની જ્યારથી સીઝન ચાલુ થઇ છે, ત્યારથી આવી કુદરત આફતો ચાર વખત આવી છે. જ્યારે આવી આફતો આવે છે ત્યારે માછીમારી કરવા પર પ્રતિબંધ આવી જાય છે. જેને લઇ માછીમારોને સીઝનમાં કરોડો રૂપીયાની નુકસાની વેઠવી પડી છે. માછીમારોની માંગ છે કે કમોસમી વરસાદથી જેમ ખેડૂતોને નુકસાનીનું સરકાર વળતર ચૂકવે છે. તેમ દરીયાખેડુને પણ નુકસાનીનું વળતર સરકાર ચુકવે
