ગુજરાત શીક્ષણ બોર્ડે કરી ધોરણ 12ના પરીક્ષાર્થીઓ માટે અગત્યની જાહેરાત
Live TV
-
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શીક્ષણ બોર્ડે યાદીમા અગત્યની જાહેરાત કરી છે. યાદીમાં જણાવેલ છે કે માર્ચ 2019માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમીક પ્રમાણપત્ર પરીક્ષા અર્થાત ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એક કે બે વિષયના પેપરમાં નાપાસ થયેલ હોય કે ગેરહાજર હોવાને કારણે નાપાસ થયા હોય તેવા ઉમેદવારો જુલાઈ 2019 માં યોજાનારી પુરક પરીક્ષા આપી શકશે. પુરક પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારોને તેમની શાળાનો સંપર્ક સાધવા કહેવામાં આવ્યું છે.