ગુરગ્રંથ સાહિબની પાલથી યાત્રાનું ગુજરાતમાં આગમન, સીએમે કર્યું સ્વાગત
Live TV
-
ગુરુ નાનક સાહેબ ની 550 મી જયંતિ પ્રસંગે આ યાત્રા નીકળી છે જે આખા ભારત માં ફરવાની છે.
નનકાના સાહિબ થી નીકળેલી ગુરુગ્રંથ સાહિબ ની પાલખી યાત્રા નું ગુજરાત માં આગમન થયું હતું.અમદાવાદ આવી પહોંચેલી યાત્રા નું રાજ્ય ની જનતા વતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતું. ગુરુ નાનક સાહેબ ની 550 મી જયંતિ પ્રસંગે આ યાત્રા નીકળી છે જે આખા ભારત માં ફરવાની છે.આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આ યાત્રા ભાઈચારા નો સંદેશ આપે છે. ગુરુનાનક માત્ર શીખ સમુદાય ના જ નહીં પરંતુ સમગ્ર ભારત ના માર્ગદર્શક સંત હતા. તેમણે દર્શાવેલા વીરતા અને કુરબાની ના આદર્શો પર ચાલી ને શીખ સમુદાય ગુલામી સામે લડ્યો હતો અને આજે રાષ્ટ્ર પ્રેમ ની મિસાલ ને જાળવી રાખી છે.