છાપરી ચેકપોસ્ટ પર પ્રવેશ પ્રતિબંધ લગાવી સતર્કતા વધારી દેવામાં આવી
Live TV
-
રાજસ્થાનમાં કોરોના સંક્ર્મણ વધતા રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે રાજ્યની સરહદો પણ સીલ કરી દેવામાં આવશે. ત્યારે યાત્રાધામ અંબાજી નજીક માત્ર 6 કિલોમીટર દૂર રાજસ્થાનની સરહદ આવેલી છે ત્યારે છાપરી ચેકપોસ્ટ ઉપર સતર્કતા વધારી દેવામાં આવી છે. આ ચેકપોસ્ટથી તમામ વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. એટલું જ નહી રાજસ્થાન રોડવેઝની એસ.ટી બસ તેમજ ગુજરાત એસ.ટી નિગમની બસોને પણ પ્રવેશ નહીં મળે જયારે ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ પોતાના કોરોનાના RT- PCR ટેસ્ટ નેગેટિવ બતાવા ફરજીયાત રહેશે. જો કે ગુજરાતની સરહદ ચેકપોસ્ટ ઉપર પણ સતર્કતા વધારી દેવામાં આવી છે.
