છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 262 નવા કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવે કોરોનાની બીજી લહેર લગભગ કાબુમાં આવી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 262 નવા કેસ નોંધાયા હતા. તો 776 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. આ સાથે સાજા થવાનો દર 97.66 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોવિડ-19ને કારણે 5 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. રાજ્યમાં ગઈકાલે કુલ 2 લાખ 55 હજાર 646 વ્યક્તિઓએ રસી લીધી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2 કરોડ 15 લાખ 305 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં વિવિધ જિલ્લાવાર દૈનિક કેસોની વિગતે વાત કરીએ તો, વડોદરામાં 25, અમદાવાદમાં 43, સુરતમાં 37, રાજકોટમાં 21, જૂનાગઢમાં 21, ગીર સોમનાથમાં 16, જામનગરમાં 16 કેસ નોંધાયા છે. જ્યારે સાત જીલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી.
