જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોરોના મહામારીમાં અનોખો સેવાયજ્ઞ
Live TV
-
જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોરોના મહામારીમાંથી લોકોને બચાવવા તેમજ સમાજ અને સરકાર ને ઉપયોગી થવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોરોના મહામારીમાંથી લોકોને બચાવવા તેમજ સમાજ અને સરકાર ને ઉપયોગી થવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં તથા ઘરે કોરોનાગ્રસ્ત વ્યક્તિઓનું મૃત્યુ થાય ત્યારે તેમની અંતિમવિધિ ધાર્મિક પરંપરા મુજબ કરવાની જવાબદારી લીધી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદે સ્વીકારી જેમાં લગભગ 60 જેટલા વ્યક્તિઓનો અગ્નિદાહ દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓક્સિજન ગેસ અછત અને અભાવને નિવારવા મોટા સિલિન્ડરો તથા નાના સિલિન્ડરોની સેવા સરકારી ખાનગી હોસ્પિટલમાં તેમજ ઘરે જેમને પણ જરૂરિયાત પડી તેવા દર્દીને લગભગ 2000 જેટલા લોકોને સેવા પૂરી પાડવામાં આવી હતી.
