DGVCL ના કર્મચારીઓ માલસામાન સાથે રો-રો ફેરી મારફતે ઘોઘા પહોંચી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા કામે લાગશે
Live TV
-
તાઉ'તે વાવાઝોડાએ સર્જેલ તબાહીમાં સૌથી વધુ વીજ પુરવઠાને અસર પહોંચી છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તાઉ'તે વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત છે જને લઈને અહીં વીજ પુરવઠો પુનઃ પૂર્વવત્ કરવા માટે વીજળી વિભાગના કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
તાઉ'તે વાવાઝોડાએ સર્જેલ તબાહીમાં સૌથી વધુ વીજ પુરવઠાને અસર પહોંચી છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તાઉ'તે વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત છે જને લઈને અહીં વીજ પુરવઠો પુનઃ પૂર્વવત્ કરવા માટે વીજ કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. આ કામગીરીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના આશરે 430 જેટલા અધિકારી અને કર્મચારીઓ પણ જોડાશે. વીજ પુરવઠાની કામગીરીમાં જરૂરિયાત મુજબનો માલસામાન તથા વાહનો સાથે સુરતથી આ ટીમ રો-રો ફેરીમાં રવાના થઈ છે. આ ટીમ ધોઘા-ભાવનગર ખાતે પહોંચશે અને ત્યાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરવા માટે રવાના થશે.
