જૂનાગઢ મ.ન.પા.ની ચૂંટણીને લઈ ભાજપે કર્યો સંકલ્પ પત્ર જાહેર
Live TV
-
જૂનાગઢ મહાનગર પાલિકામા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. સંકલ્પ પત્રમાં જુનાગઢ ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે , તેવું જણાવવામાં આવ્યું છે. વધુમાં સંકલ્પ પત્રમાં, નરસિંહ તળાવની આસપાસ કાંકરિયા જેવો રિંગ ગાર્ડન રોડ, જોશીપુરામાં ઓવર બ્રિજ, ટ્રાફિકની સમસ્યા નિવારવા તેમજ પાણીની સમસ્યા માટે આયોજન કરાશે. જુનાગઢના ઝાંઝરડા વિસ્તારમાં તળાવ બનાવાશે. તેમજ જૂનાગઢને રેલવે ફાટક મુક્ત કરવાનો ભાજપના સંકલ્પ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
