જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની દસ રૂપિયાથી બોલી શરૂ થતાં ખેડૂતો દુવિધામાં
Live TV
-
તાઉ તે વાવાઝોડાને કારણે કેસર કેરીના પાકમાં થયું ભારે નુકસાન
જૂનાગઢ જિલ્લામાં તેમજ તેની આસપાસના વિસ્તારોમાં દર વર્ષે મોટા પાયે કેસર કેરીનું વાવેતર થાય છે, જેનો નિકાસ રાજ્યભરમાં કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે તાઉ તે વાવાઝોડાને પગલે તે વિસ્તારમાં આવેલ તમામ આંબાના બગીચાઓ નાશ પામ્યા છે. ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 18,000 કેરીના બોક્સની આવક થઈ હતી, જેનો ભાવ માત્ર કિલોના દસ રૂપિયા જ બોલાતા ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
તાઉ તે વાવાઝોડા પહેલા આ જ કેરીઓના ભાવ પ્રતિ બોક્સના 1200 થી 1500 રૂપિયા સુધી હતો. એ સમયે ખેડૂતોને સિઝન સારી જશે તેવી આશા હતી, પરંતુ હવે કેસર કેરીના બોક્સના ભાવ ગગડીને 700 થી માત્ર 50 રૂપિયા સુધી બોલાય છે, ત્યારે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સ્થાનિક ખેડૂતોએ કહ્યું હતું કે, અમારા જીવનકાળમાં કેરીના આટલા નીચા ભાવ ક્યારેય સાંભળ્યા નથી.
