જેતપુરમાં કોરોનાથી રક્ષણ આપતા ઉકાળા તેમજ હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું
Live TV
-
પાવીજેતપુરમાં કોરોનાના કેર થી રક્ષણ મેળવવા માટે ગ્રામ પંચાયત નજીક આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું . ૫૦૦૦ જેટલા લોકોએ તેનો લાભ લીધો હતો. નિયામક, આયુષની કચેરી ગાંધીનગર તેમ જ જીલ્લા આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા આજ રોજ રક્ષણાત્મક અમૃતપેય ઉકાળા અને હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ ૩૦નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઔષધો પ્રતિકારક શક્તિ વધારે છે તેમ જ સામાન્ય શર્દી, ખાંસી, તાવ તથા ગળાનો દુખાવો દૂર કરે છે. કુલ ૫૦૦૦ જેટલા લાભાર્થીઓએ આ આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથીક દવાનો લાભ લીધો હતો.
