જો મનોબળ મજબૂત હોય તો કોરોનાને પણ હરાવી શકાય
Live TV
-
જામનગરના ધ્રોલ તાલુકાનાં હજામચોરા ગામના 101 વર્ષના દાદીમા મોતીબેને મક્કમ મનોબળ,પરિવારની હુંફ અને યોગ્ય સાવચેતી સાથે 15 દિવસ ઘરમાં જ કોરોન્ટાઈન રહી કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે. શતાયુ વૃધ્ધાએ ઘેર રહી તબીબી માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી કોરોનાને હરાવી ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હજારચોરા ગામે રહેતા મોતિબેન અવચરભાઈ બારૈયા તેના પુત્ર મનજીભાઇ અને પુત્રવધૂ સાથે રહે છે. તેમને શરદી, તાવ, કફ અને નબળાઈના લક્ષણો જણાતા તપાસમાં કોરોનાનું ઇન્ફેકશન હોવાનું નક્કી થયું હતું.તેમણે પોતાના ઘરેજ તબીબની સલાહ પ્રમાણે સારવાર પુરી કરીને કોરોનાને હરાવ્યો છે. તેમણે લોકોને કોરોનાથી ડરવાનાં બદલે સાવધાની રાખી ડોકટરની સલાહ અનુસાર વર્તવા અપીલ કરી
