તાઉ'તે વાવાઝોડામાં સિંહો સુરક્ષિતઃ નદીના વહેણ પરથી પસાર થતા સિંહોનો વીડિયો વાયરલ
Live TV
-
તાઉ'તે વાવાઝોડાથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઘણી અસર થઈ છે. પરંતુ ગીર જંગલના સિંહો આ વાવોઝાડામાં સુરક્ષિત છે.
તાઉ'તે વાવાઝોડાથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઘણી અસર થઈ છે. પરંતુ ગીર જંગલના સિંહો આ વાવોઝાડામાં સુરક્ષિત છે. પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં સિંહોનું એક ટોળું સુરક્ષિત રીતે નદી પરથી પસાર થઈ રહ્યું છે.
ડૉ. રાજીવ ગુપ્તાએ ટ્વિટર પર વીડિયો શેર કરતાં જણાવ્યુ હતું કે, ગીર વિસ્તારના સિંહ વાવાઝોડામાં સુરક્ષિત છે. ગીર વન વિભાગના કર્મચારીઓ સિંહોના હલનચલન પર સતત દેખરેખ રાખી રહ્યા છે. આ વીડિયો ગીર પશ્ચિમ ક્ષેત્રના આંકોલવાડી રેન્જનો છે.
