તાના-રીરી મહોત્સવ-૨૦૧૯નો વડનગર ખાતે આજથી શુભારંભ
Live TV
-
કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી, શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે , આજે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ-૨૦૧૯નો શુભારંભ કરવામાં આવ્યુ હતુ.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં , ત્રણ પ્રકારના વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં 150 તબલાવાદકોએ , એક સાથે 30 મિનિટ તબલા વગાડ્યા હતા. વૈષ્ણવ જન તો અને રાષ્ટ્રગીત પર , 108 વાંસળી વાદકોએ એક સાથે વાંસળી વગાડી હતી. શીતલ બારોટ નામના કલાકાર દ્રારા , એક મિનિટમાં જુદા જુદા પ્રકારના 9 રસ ચહેરા પર બતાવી , વર્લ્ડ રેકોર્ડ બનાવવા માં આવ્યા હતા.
