તૌકતે ચક્રવાતના પગલે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ, તો કેટલીક ટ્રેનો ગંતવ્ય પહેલા સમાપ્ત થશે
Live TV
-
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ મુસાફરી શરૂ કરતા પહેલા મુસાફરોને આ ફેરફારો ધ્યાનમાં રાખવા અનુરોધ કર્યો
ચક્રવાતી વાવાઝોડું તૌકતે વિષે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને ધ્યાને લઇ ચેતવણીના પગલે મુસાફરો તથા ટ્રેનોની સલામતી અને પરિચાલનને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેનોને ગંતવ્ય પહેલા સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્રમાં 17 અને 18 મે, 2021 ના રોજ ચક્રવાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અથવા શોર્ટ ટર્મીનેટ કરવામાં આવશે. મુસાફરી શરૂ કરતા પહેલા મુસાફરોને આ ફેરફારો જોઈ લેવા તેમજ ધ્યાનમાં રાખવા પશ્ચિમ રેલવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
