તૌકતે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને જોતા વલસાડ વહીવટી તંત્ર સજ્જ
Live TV
-
તૌકત વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને જોતા વલસાડ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જિલ્લા કલેકટરે જિલ્લાના દરિયા કિનારે આવેલ તિથલ સહિત ના 28 ગામોમાં સ્થાનિક તંત્રને નજર રાખવા આદેશ આપ્યા છે. તો આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન કલેક્ટરે જિલ્લાના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને ગામના તલાટીઓને પોતાનું હેડ ક્વાર્ટર ન છોડવા કડક સૂચના આપી છે. તેમજ સાવચેતીના ભાગરૂપે જિલ્લાના માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ઉમરગામ, પારડી અને વલસાડ તાલુકાને અડીને આવેલા દરિયા કિનારાના ગામોમાં ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
